એક મહિલાના અંતિમ સંસ્કાર થઈ ગયા અને બરાબર 1 વર્ષ બાદ તે જીવતી થઈને ઘેર આવે તો કેવો ડર લાગે? હસવું કે રડવું કંઈ ન સમજાય. આવો એક તાજો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલા અંતિમ સંસ્કાર બાદ ઘેર પાછી આવી હતી. જોકે આ ઘટના અંતિમ સંસ્કારમાં ગરબડ કે બીજા કોઈની જગ્યાએ બીજાના અંતિમ સંસ્કારનું પરિણામ હોઈ શકે છે.
મંદસોરમાં ભયનું લખલખું
મધ્યપ્રદેશના મંદસૌરમાં એક વિચિત્ર ઘટના બની છે. દોઢ વર્ષ પહેલાં એક મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. તેમના પરિવારે મૃતદેહની ઓળખ કરી અને અંતિમ સંસ્કાર પણ કર્યા. જોકે, સ્ત્રી અચાનક જીવંત થઈ જાય છે અને પોતાના ઘરે પાછી ફરી હતી, જેના અંતિમ સંસ્કાર કર્યાં બાદ તે મહિલા ઘેર આવી જતાં પરિવારના સભ્યો પણ નવાઈ પામ્યાં હતા જોકે કેટલાક ખૂબ ડરી ગયા હતા તેમનું માનવું હતું કે આ તેનું ભૂત છે.
હત્યાના આરોપમાં 4 યુવાનોને જેલ
આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે મહિલાની હત્યાના આરોપમાં ચાર યુવાનોને જેલની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે તે મહિલા પાછી આવી ત્યારે તેના બાળકો અને પરિવારના સભ્યો ખૂબ ખુશ હતા. પરંતુ પોલીસ હવે એ રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે કે જે મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે કોણ હતી.
મહિલાએ શું કર્યો ખુલાસો
ઘરે પરત ફરેલી મહિલા લલિતાએ પોલીસને જણાવ્યું કે તે પોતાની મરજીથી શાહરૂખ નામના પુરુષ સાથે ભાનપુરા ગઈ હતી. જોકે, બે દિવસ પછી શાહરુખે તે બીજા શાહરુખને પાંચ લાખ રૂપિયામાં વેચી દીધું. લલિતા બીજા શાહરૂખ સાથે કોટામાં 18 મહિના સુધી રહી. આ સમય દરમિયાન તેણે ભાગી જવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તેની પાસે મોબાઈલ ફોન નહોતો. અંતે, તેણીને ભાગી જવાની તક મળી અને તે તેના ઘરે પાછી ફરી હતી.
ઘરનાએ મરેલી માનીને બીજા કોઈની લાશ સળગાવી
આ ઘટનામાં પોલીસને એવી આશંકા છે કે ઘરના સભ્યોએ બીજા કોઈની લાશના અંતિમ સંસ્કાર કર્યાં હોઈ શકે છે. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે. તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે કોણ હતી અને તેનું મૃત્યુ કેવી રીતે થયું. તેઓ લલિતાના નિવેદનની પણ તપાસ કરી રહ્યા છે અને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેને કોણે અને શા માટે વેચી.